બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ


SHARE











ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના બંગાવડી સિંચાઈ કેસમાં ચુકાદો આપવામાં આવેલ છે જેમાં ૮૮ આરોપી શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ ટંકારા પોલીસ મથકે ૮૮ ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. 

ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ આઇપીએસ કલમ ૪૩૦ તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૩૭ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ કલમ ૪૩૭ મુજબ ૧૦ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ૧૪ મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા ૧ ફરીયાદી ૮ સાહેદ ૪ પંચ સાહેદ ૧ ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ.જી. શેખ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. અને આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.






Latest News