મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ


SHARE















ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં ૮૮ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો આદેશ

ટંકારા તાલુકાના બંગાવડી સિંચાઈ કેસમાં ચુકાદો આપવામાં આવેલ છે જેમાં ૮૮ આરોપી શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ ટંકારા પોલીસ મથકે ૮૮ ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી. આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી. 

ટંકારા તાલુકાનાં બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટેના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ આઇપીએસ કલમ ૪૩૦ તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૩૭ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેનો કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા ૮૮ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપીને ક્રિપોકોડ કલમ ૪૩૭ મુજબ ૧૦ હજારના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ૧૪ મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા ૧ ફરીયાદી ૮ સાહેદ ૪ પંચ સાહેદ ૧ ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ.જી. શેખ દ્વારા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. અને આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.






Latest News