બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ૯૬ બોટલ દારૂ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબીમાં આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ૯૬ બોટલ દારૂ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસના પાર્કીંગમા દારૂની રેઇડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ ૯૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૬,૯૬૦ નો દારૂનો જથ્થો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કેએક શખ્સ પોલીસને જોઈને નાશી ગયેલ છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આર.પી. રાણા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા અને સિધ્ધરાજસીંહ જાડેજાને બાતમી મળી હતી તેના આધારે મોરબી અયોધ્યાપુરી રોડ મદીના પેલેસના પાર્કીંગમા દારૂની રેઇડ કરી હતી ત્યારે ત્યાથી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૬,૯૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા (૨૧) રહે. મચ્છીપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબી હાજર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી જો કે, પોલીસને જોઈને આરોપી સલીમ જુસબભાઇ કટીયા રહે. મચ્છપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબી વાળો ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ આર.પી.રાણા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૨ પાસે રહેતા મોહનભાઈ જીવરાજભાઈ કંઝારીયા (૬૦) નામના વૃદ્ધ સરદારબાગ સામે સત્યમ પાન વાળી શેરી પાસેથી સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની સાયકલને હડફેટે અકસ્માત થયો હતો જેમાં મોહનભાઈને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News