હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન


SHARE













મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન

લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં વાંકાનેર મામલતદારશ્રી યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેરમાં આવેલી કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ ના ૧૨૨ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવીમતદાન મથક તૈયાર કરવુંમતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળાના ૧૨૨ વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ભાગ લીધો હતો. અને મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણીનાયબ મામલતદાર મન્સુરીશાળાના પ્રમુખશાળાના આચાર્ય નિલેશભાઈ ધોકિયા તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News