મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકોએ ૨૮ એપ્રિલે Know Your Polling Station કેમ્પેઈનનું આયોજન
મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન
SHARE
મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન
લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં વાંકાનેર મામલતદારશ્રી યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેરમાં આવેલી કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ ના ૧૨૨ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવી, મતદાન મથક તૈયાર કરવું, મતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળાના ૧૨૨ વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ભાગ લીધો હતો. અને મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી, નાયબ મામલતદાર મન્સુરી, શાળાના પ્રમુખ, શાળાના આચાર્ય નિલેશભાઈ ધોકિયા તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.