બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી હરિહરધામ મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન, ચકિયા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા

મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હનુમાન જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે અંનત વિભૂષિત મહામંડલેશ્વર કંનકેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામા આવ્યા હતા આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ધૂન, રોકડીયા હનુમાનજીના મંદિરે યજ્ઞ, ટંકારાના નારીચાણિયા હનુમાનના મંદિરે હવનનું આયોજન કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર લાતીપ્લોટના ખૂણા પાસે આવેલ મણીઘર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટંકારા ડેમી નદીના કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી






Latest News