સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ


SHARE











મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ

મોરબીમાં પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિના દિવસે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રા યોજાઇ હતી ત્યારે મોરબીના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામના નારા ગુંજી ઉઠયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું કાર્યક્રમ યોજાયો હતો જેનો પણ ભૂદેવ પરિવારોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી અને આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ પદે જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ છે તેમજ મહામંત્રી તરીકે ઋષિભાઇ દેવીપ્રસાદભાઈ મહેતા, ધ્વનિતભાઈ રાજેશભાઈ દવે અને હાર્દીકભાઇ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે તેમ ધ્યાનેશભાઈ રાવલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News