મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE













વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેરમાં જીનપરામાં આવેલ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના જીનપરામાં આવેલ રામજી મંદિર પાસે ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જનકભાઈ પરસોતમભાઈ બાવળીયા (૩૭) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડિયા (૨૦) રહે જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, રફિકભાઈ જુનાભાઈ કુરેશી (૨૨) રહે. જીનપરા શેરી નં-૧૦ વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (૩૪) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર અને હુસેનભાઈ વલીમહમદભાઈ શેખાણી (૩૬) રહે. જીનપરા શેરી નં-૨ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આગ લાગતા ઘરમાં નુકશાન

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને મકાન સળગી ગયું હતું જે બનાવ સંદર્ભે ઘરધણી હર્ષાબેન નિલેશભાઈ પારેખ જાતે વાણીયા (૬૦) રહે. હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિવાંતા અનંતા બિલ્ડીંગ ફ્લેટ નંબર ૧૪૦૪-૧૪ રાજકોટ મૂળ રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News