મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે મોરબી એલસીબી-એ ડિવિઝન પોલીસે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપીને પકડ્યા મોરબી જિલ્લાના શાસનને વેગવંતુ બનાવતાં મહિલા અધિકારીઓ : આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળ, રોજગાર, વન વિભાગના મહિલા  અધિકારી આપે છે નારીઓને પ્રેરણાદાયક સંદેશ મોરબી: નેક્સિયન સર્ફેસેસ પ્રા.લિ. ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીની પી.જી પટેલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વિદ્યાભારતી વિદ્યાલયોના નવનિયુકત આચાર્યોને પ્રશિક્ષણ


SHARE













વાંકાનેરમાં વિદ્યાભારતી વિદ્યાલયોના નવનિયુકત આચાર્યોને પ્રશિક્ષણ

કનુભાઈ કરકરે દ્વારા ભારત માતાની કથાનું રસપાન


 વાંકાનેર ખાતે વિદ્યાભારતીના વિદ્યાલયોમાં નવનિયુકત આચાર્યોનું પ્રશિક્ષણના શિશુ મંદિરમાં થઈ રહ્યું છે તે અંતર્ગત વિદ્યાભારતીના મુખ્ય ચાર આયામો પૈકી શિક્ષણ, પ્રશિક્ષણ, સમાજ પ્રબોધન અને પ્રકાશન છે. આ ચાર આયામો થતી વિદ્યાભારતી પોતાનો મુખ્ય ઉદેશ શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનો સિધ્ધ કરી રહી છે.

 ત્યારે નવનિયુકત આચાર્યો ભાવિ પેઢીને તૈયાર કરે તે ભાવી પેઢી હિન્દુત્વ અને રાષ્ટ્રહિત, રાષ્ટ્રનું ગૌરવ કરનારી બને દેશપ્રેમી બને એ ઉદેશથી શિક્ષણ પરિવર્તન આવશ્યક છે અને શિક્ષણ પરિવર્તન કરવા માટે વિદ્યાભારતી વિવિધ પ્રકલ્પો ચલાવી રહી છે તેવો જ નૂતન પ્રયોગ એટલે ભારત માતા કથા જે કતા દ્વારા સૌ ભારતીયો ભારત માતાના સંતાન છીએ અને મારી સમૃધ્ધિ અને વિકાસની અંદર મારા દેશનું શું યોગદાન રહેલું છે? તે વિસરાય નહીં અને ગૌરવશાળી ઈતિહાસ શું હતો? દેશ માટે પૂર્વજોએ તન, મન અને ધનથી દેશ માટે શું, શું કયુર્ં હતું? અને આપણી શું ફરજ છે? તેનો સાચો ઈચિહાસ ભારત માતા કથાના પાંચ અધ્યાયમાં સમાવિષ્ટ કરેલો છે. 

આ પાંચ અધ્યાયોને સરળ શૈલીમાં અને માર્મિક ભાષામાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના શિક્ષણ પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઈ કરકરે 
કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું.

 આ પ્રસંગે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના રાજસ્થાન પ્રાંતના અધિકારી રામ મનોહરજી તથા વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના પૂર્વ છાત્ર સમિતિના સંયોજક યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ સ્થાનિક વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા યુવા સંગઠનના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા તેમજ ટ્રસ્ટી ગણની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. આ કથાની અંદર બહોળી સંખ્યામાં વાલીગણ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Latest News