મોરબીના વજેપરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા: માળીયા (મી) નજીક અકસ્માત થતાં કારમાં નુકશાન પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે મોરબી એલસીબી-એ ડિવિઝન પોલીસે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપીને પકડ્યા મોરબી જિલ્લાના શાસનને વેગવંતુ બનાવતાં મહિલા અધિકારીઓ : આરોગ્ય, શિક્ષણ, મહિલા, બાળ, રોજગાર, વન વિભાગના મહિલા  અધિકારી આપે છે નારીઓને પ્રેરણાદાયક સંદેશ મોરબી: નેક્સિયન સર્ફેસેસ પ્રા.લિ. ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબીની પી.જી પટેલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE













વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

વાંકાનેરના લાકડધાર ગામમાંથી ચાર દિવસ પહેલા બાઇક લઇને ગયેલા વૃદ્ધ ઘરે પાછા આવેલ ન હતા જેથી કરીને તે વૃદ્ધને શોધવામાં આવી રહ્યા હતા તેવામાં વૃદ્ધનો વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેથી કરીને વૃદ્ધના બોડીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી વિગતો વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઈ અણિયારીયા જાતે કોળી (૫૮) ની કોહવાઈ ગયેલ હાલતમાં વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ જીએસઈસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાંથી ડેડબોડી મળી આવી હતી જેથી કરીને ત્યાંથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેરના જે.જી ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લાકડધાર ગામના હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા ગત તા. ૩૦ ના રોજ ઘરેથી બાઇક લઈને બહાર ગયા હતા અને મોડી રાત સુધી પરત આવ્યા ન હતા જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી અને દરમિયાન વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ તળાવમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી અને જાનવર દ્વારા તેની બોડીને ફાડી ખાવામાં આવી હોવાથી હીરાભાઇના બોડીને ફોરેનસિકમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા લેવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે


Latest News