મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ પ્રકારના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રશિક્ષણ-ટ્રેનિંગ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ જેમ કે, બાળકોની સલામતી, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ, વાંચન, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. આ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે તેનાથી શિક્ષકો સહિતનાઓને ઘણો ફાયદો થાય છે આ વખતે આ સેમિનાર તા ૮ થી ૧૦ સુધી રાખવામા આવેલ છે અને આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ શિક્ષણવિદો સહિતના હાજર રહેશે તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આપેલ છે