મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત


SHARE













મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને  શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત

કોરોના સમયે એસટી વિભાગ દ્વારા દ્વારા એસટી બસના ઘણા બધા રૂટને બંધ કરવામાં અવાયા હતા જો કે, હાલમાં મોટા ભાગે સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે ત્યારે પણ ઘણી આ એસટીની બસોના રૂટને શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને બસોને ચાલુ કરવા માટે તેમજ નવી સુવિધા વધારવા માટે રજૂઆત કરેલ છે

અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના પી.પી.જોષીએ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીથી કોરોના સમયે જે બસો બંધ કરવામા આવેલ તે હજુ સુધી ચાલુ થયેલ નથી જ્થિ કરીને બસોને ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેકરજણ ડેપોની રાત્રે મોરબીથી ૧૨ વાગ્યે ઉપડતી બંધ છે અને આ બસ મોરબી રાત્રે અમદાવાદ જવા માટે છેલ્લી બસ છે અને ટ્રાફીક પણ સારો મળતો હતો, ધાંગધ્રા ડેપોની ધ્રાંગધ્રા માળીયા સવારે ૭:૩૦ વાગ્યે ધ્રાંગધ્રાથી ઉપડીને માળીયા ૧૧.૦૦ વાગ્યે પહોંચતી બસ જે હાલમાં બંધ છે જેથી માળીયા તાલુકાના ગામડા જેમાં ધાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેણાસર વિગેરેના મુસાફરોને હેરાન થવું પડે છે જે બસ ચાલુ કરવામાં આવે તે જરૂરી છેમોરબી ધાંટીલા વચ્ચે ઘણી જ અપુરતી બસો છે સવારે કારખાનામા કામ ઉપર આવતા કામદારોને ઘણી જ મુશ્કેલી પડે છે તો સવાર સાંજ બે બસ નિયમીત ચાલે તેવી માંગણી છે અને મોરબી સામાકાંઠે હાઉસીંગ બોર્ડ કન્ટ્રોલ પોઇન્ટ ચાલુ કરવો જોઈએ કેમ કે, દરરોજ અહીંયાથી પાંચ હજાર મુસાફરની અવર જવર છે પણ ઇન્કવાયરી ઓફીસ ન હોય મુસાફરને ધણીજ તકલીફ પડે છે






Latest News