ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ


SHARE













મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડને નવો બનાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઇ, રાણેવાડીયા, દેવેશભાઈ મેરૂભાઈ અને મુશાભાઈ બ્લોચ દ્વારા ચીફ ઓફિસર, વહીવટદાર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે. મોરબીમાં દરબારગઢથી નગરદરવાજા થઈને જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે

વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ જૂનું વચન યાદ અપાવીને તાત્કાલિક રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ કાઉન્સિલર અનીલભાઈ મહેતાએ પણ ચૂંટણી વખતે દરબારગઢથી ગ્રીન ચોક સુધી આરસ પાણાનો રોડ બનાવી દેવાની વાત કહી હતી તો તાત્કાલિક આ રોડ નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ છે કે, રોડમાં ખાડાના લીધે વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને ગંભીર ઈજાઓ થાય છે જેથી તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News