મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા


SHARE







ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા

ગઢકા ગામથી મુંધવા પરિવારના છતર અને ખાખરેચી ગામના અંદાજે 500 જેટલા લોકોનો સંઘ પાટડી તાલુકાના મેરા ગામે જઈ રહ્યો હતો અને વિરમગામમાં આવેલ સતી માતાજીના મંદિરે આજે આ સંઘ દ્વારા ધજા ચડાવાની હતી. દરમ્યાન રાત્રીના સમયે વિરમગામ નજીક પદયાત્રીઓ વહેલી સવારે ચાલતા થયા હતા અને રસ્તામાં પંચર પડેલો ટ્રક પડ્યો હતો જેથી તેને ઓવરટેક કરવા માટે જતા સમયે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે બનાવમાં પંચર પડેલા ટ્રકના ડ્રાઇવર ક્લીનર તેમજ છતર ગામના બે મહિલા અને ખાખરેચી ગામના ત્રણ મહિલા આમ કુલ સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને છતર ગામના જે મહિલાઓના મોત નિપજ્યા છે તેમાં મુંધવા વજીબેન વિભાભાઈ (52) અને મુંધવા વિજીયાબેન પ્રવીણભાઈ (42) નો સમાવેશ થાય છે અને આ બંને મહિલાઓ સંબંધમાં જેઠાણી અને દેરાણી થતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે વધુમાં મળતી વિગત પ્રમાણે પાટડી તાલુકાના મેરા ગામે મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંઘ મેરા ગામ તા. 18 ના રોજ પહોંચે ત્યારબાદ ભાગવત સપ્તાહ ત્યાં શરૂ થવાની હતી. દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મુંધવા પરિવારના પાંચ મહિલાઓના મોત નિપજ્યા છે






Latest News