મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે


SHARE













વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર મંડળ- કોઠારીયા (રાજકોટ) દ્વારા ઉજવણી કરાશે.આવતી કાલ તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં કલાકારો જીતુભાઈ રાવળ, યોગેશભાઈ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.

જયારે તા.૭ ને રવિવારે અષાઢીબીજના રોજ બાવન ગજની ધજા ચડાવાશે.તે ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજ નિમિતે ભાવિકભક્તો દ્વારા ચડાવવામાં આવે છે.યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે.સર્વે શ્રધ્ધાળુઓને પધારવા મહંત રણછોડદાસજી તેમજ ખોડીદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News