મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત


SHARE











મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત

મોરબી એસપી કચેરી ખાતે આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે તાજેતરમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં જે વેપારી સાથે ઘટના બની હતી તેને લઈને રજૂઆતો કરવામાં આવી હતી તે ઉપરાંત નગર દરવાજા ચોક સહિતના તમામ મેઇન રોડ ઉપર ખડકાઈ ગયેલ લારી, ગલ્લા સહિતના દબાણો હટાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવૈ હતી.

મોરબીમાં રેન્જ આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક રાખવામા આવી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી તેમજ જિલ્લા ભરના અધિકારી હાજર રહ્યા હતા. ત્યારે ખાસ કરીને મોરબીમાં થોડા દિવસો પહેલા ગ્રાહકના વાહનની સાથે વાહન અથડાવીને વેપારી અને તેના દીકર તેમજ ભાઈની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટના ભોગ બનેલા વેપારી સહિતના ત્યાં આવ્યા હતા અને ભંગાર વાળાના દબાણો સહિતના દબાણો હટાવવા માટેની રજૂઆત કરી હતી ત્યાર બાદ ધારાસભ્યની હાજરીમાં આઇજીની પત્રકારોએ મુલાકાત કરી હતી ત્યારે ખાસ કરીને મોરબીના નાગર દરવાજા ચોક, પરાબજાર, શકતીચોક, લોહાણપરા, શાકમાર્કેટ ચોક સહિતના વિસ્તારમાં જે લારી ગલ્લા સહિતના દબાણો છે તેને દૂર કરાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આઈજી દ્વારા એસપી અને ડીવાયએસપીને દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે, અમલવારી કયારે થશે તે તો આગામી સમય જ બતાવશે. 






Latest News