મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત


SHARE













મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ઓરડીમાં રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાને આંચકીની બીમારી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી (23) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી ઉંમર પાંચ મહિનાનું મોત થયું હોવાનું જાણ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના દીકરાને આંચકીની બીમારી હતી અને ચાલુ સારવાર દરમિયાન તેને રહેણાંક મકાને મૂકીને તેની માતા કામ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારે બાળકને આંચકી આવેલ હોય તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું. જે અંગેની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રાણીબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરતભાઈ હકાભાઇ ઝિંઝવાડીયાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી,






Latest News