મોરબીના 602 જમીન કૌભાંડમાં બોગસ આંબો કાઢી આપવા તલાટી મંત્રીએ લાખો રૂપિયા લીધા હોવાનો ધડાકો: મોટા મગરમચ્છોનું મુશકેલી વધે તેવા સંકેત મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયા સ્મૃતિમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો મોરબી: પત્રકાર અમીબેન ગજ્જરને ધ સાઇનિંગ સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબીના નાની વાવડીમાં 1.30 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ પાર્ક બનવાનું કામ પ્રગતિ હેઠળ મોરબીમાં શુદ્ધ પાણી આપવા માટે ૨.૩૫ કરોડના ખર્ચે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત મોરબીનો ડીપી બનાવવાનું કામ કરતી એજન્સી અધિકારીઓની બેઠક યોજાઈ મોરબી બોયઝ હાઇસ્કુલ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન- માતૃભાષા મહિમાગાનનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત


SHARE













મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ઓરડીમાં રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાને આંચકીની બીમારી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી (23) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી ઉંમર પાંચ મહિનાનું મોત થયું હોવાનું જાણ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના દીકરાને આંચકીની બીમારી હતી અને ચાલુ સારવાર દરમિયાન તેને રહેણાંક મકાને મૂકીને તેની માતા કામ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારે બાળકને આંચકી આવેલ હોય તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું. જે અંગેની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રાણીબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરતભાઈ હકાભાઇ ઝિંઝવાડીયાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી,






Latest News