મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત


SHARE











મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ઓરડીમાં રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાને આંચકીની બીમારી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી (23) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી ઉંમર પાંચ મહિનાનું મોત થયું હોવાનું જાણ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના દીકરાને આંચકીની બીમારી હતી અને ચાલુ સારવાર દરમિયાન તેને રહેણાંક મકાને મૂકીને તેની માતા કામ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારે બાળકને આંચકી આવેલ હોય તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું. જે અંગેની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રાણીબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરતભાઈ હકાભાઇ ઝિંઝવાડીયાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી,






Latest News