મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ ભોજપરા વાદી વસાહતમાં માતાજીના મંદિર બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખીને સામસામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા વાદી વસાહતમાં રહેતા વિજયનાથ પોપટનાથ બાભણીયા જાતે વાદી (30)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બહાદુરનાથ સુરમનાથ પરમાર, જલાનાથ બોળાનાથ પરમાર, જાનનાથ સુરમનાથ પરમાર, રોબરનાથ સુરમનાથ પરમાર, કરશનનાથ પોપટનાથ પરમાર અને પોપટનાથ પરમાર રહે. બધા વાદી વસાહત મોટા ભોજપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી સાથે આરોપીઓને અગાઉ ધાવડી માતાજીના મંદિર બાબતે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા રોબરનાથ પરમારે તેના હાથમાં રહેલ લોખંડનો સળીયો ફરિયાદીને કપાળના ભાગે માર્યો હતો અને બાકીના આરોપીઓએ તેના હાથ પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જ્યારે સામા પક્ષેથી જોગનાથ કાળુનાથ પરમાર જાતે વાદી (60)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા અને ધરમનાથ ભોટનાથ બાભણીયા રહે. ત્રણેય વાદી-ભોજપરા, કેશનાથ કાનનાથ બાભણીયા, કરશનનાથ કાનનાથ બાભણીયા અને ભુપતનાથ મીરખાન બાભણીયા રહે. ત્રણેય સારાણા થાન તથા ગોરખનાથ કાનનાથ બાભણીયા અને રમતુનાથ ગોરખનાથ બાભણીયા રહે. જારીયા મહાદેવના બોર્ડ પાસે વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ માતાજીના મંદિર બાબતે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા ઇજા પામેલાઓને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા મીરખાનનાથએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તેમજ ગોરખનાથ અને કેસનાથ દ્વારા લોખંડના પાઇપ વડે પગ અને આંખની બાજુમાં માર મરીને ઈજા કરી હતી. આ આઠેય આરોપીઓ દ્વારા ફરિયાદી તથા સાહેદને લાકડી અને લોખંડના પાઇપ તથા કુહાડી વડે મારમારીને ઈજા કરવામાં આવી હતી. જેથી ઈજા પામેલ ફરિયાદી તેમજ ઝવેરનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News