વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ


SHARE

















મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ

મોરબી જિલ્લાના ખેડૂતોને અનાવૃષ્ટિ તેમજ અતિવૃષ્ટિની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને આ જિલ્લાની સરકારી સહાયમાંથી કેમ બાદબાકી કરવામાં આવી છે તેવો સવાલ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદે યોગ્ય કરવાની માંગ સાથે મોરબી જીલ્લાના ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવે તેના માટે સીએમને રજૂઆત કરેલ છે

ગુજરાત સરકાર દ્વારા અતીવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરેલ છે. પરંતુ આ પેકેજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ નથી જો કે, મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ ૨૮ દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ ન હોય તો જીલ્લાને પેકેજનો લાભ મળવો જોઈએ અને આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી. ત્યારબાદ અતિવૃષ્ટિ પણ થયેલ છે. એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે. 

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો  અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી. મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે અને ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતોને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે. 

 આ નવી સરકારમાં મોરબી જીલ્લાને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે જીલ્લાના ખેડૂતોને ન્યાય મળે અને સરકારી પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવેશ તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News