મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ


SHARE













મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લા સહિતના વિસ્તરમાં પાટીદાર સમાજમાં ૧૦૦૦ જેટલા ઘડિયા લગ્ન લેવાય છે. ત્યારે દિવાળી પછી લગ્નના મુહર્ત હોય દિવાળી પછી ઘડિયા લગ્ન કરવા ઇચ્છતા પટીદાર સમાજના પરિવારો માટે મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે

માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહ સમિતિ દ્વારા ધડીય લગ્ન વધુ સંખ્યામાં થાય તે માટે આયોજન કરવાની તૈયારી કરવામાં આવી છે અને ઘડીયા લગ્ન કરવા માગતા પાટીદાર પરિવારોએ દિવાળી પછી તા.૧૫/૧૧ તુલસી વિવાહ છે. ત્યાર પછી આવતા લગ્ન મુહૂર્તમાં ઘડીયા લગ્ન કરવા ઇચ્છતા પરિવારોએ લામપાંચમ અને તા.૧૦/૧૧ થી સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અત્યાર સુધી ૧૦૦૦ થી વધુ ઘડીયા લગ્ન પાટીદાર પરિવારો દ્વારા કરવામાં આવેલ છે તે જોતાં આવનારા દિવાસોમાં આ ઘડિયા લગ્ન રીવાજ તરીકે પ્રાપિત થશે આ ઉપરાંત કોરોના કાળના ઇશ્વરીય કાર્યમાં સર્વજ્ઞાતિ માટે ૨૦૦૦ થી વધુ ખાધ્ય સામગ્રીની કીટ, ૧૦૦માં ૭૦૦૦ (સાત હજાર) નાશ લેવાના મશીન તથા ૧૦ માં ચાલીસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. સમિતિ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું પણ વાવેતર થયું છે તેવું સંસ્થાના પ્રમુખ ડો.મનુભાઈ કૈલાએ જણાવ્યુ છે અને વધુમાં તેઓએ કહ્યું છે કે આગામી ઘડિયા લગ્નની નોંધણી માટે શ્રીજી હોલની નીચે માર્કેટયાર્ડની બાજુમાં શનાળા રોડ ઉપર સંસ્થાનું કાર્યાલય આવેલ છે ત્યાં સંપર્ક કરવાનો રહેશે અને કોઈ માહિતી માટે ઈશ્વરભાઈ સબાપરા ૯૪૨૭૨ ૨૨૫૧૦, જયંતિમાઈ વિડજા ૯૯૭૮૯ ૨૧૩૧૮ અને મગનભાઈ અઘારા  ૯૮૨૫૦ ૯૮૦૭૯ નો સંપર્ક કરવાનો રહેશે






Latest News