માળીયા(મી) તાલુકા ભાજપ કિશાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીની વરણી
મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું
SHARE









મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડાનું ધૂમ કરવા માટે હાલમાં વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવી દેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવામાં આવે તેના માટે ‘એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કલેક્ટર, એ ડિવિઝન, બી ડિવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તકે એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, જિલ્લા મંત્રી કમલભાઈ દવે, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, વિજયભાઈ કુંભારવાડીયા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
