મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ


SHARE









મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

મોરબીના સામાકાંઠે વોરાબાગ વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

સુત્રો તેમજ સ્થાનીકો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી જતા વચ્ચે આવતા વોરાબાગ પાસે એસબીઆઈનું એટીએમ આવેલ છે તે એસબીઆઇના એટીએમને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે એટીએમ તૂટયુ ન હોય અને એટીએમના સ્પેરપાર્ટસમાં નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. એટીએમમાંથી રોકડ ગયેલ નથી પરંતુ એટીએમના સ્પેરપાર્ટસને નુકસાની થયેલ હોય ચોરીના આ પ્રયાસ અંગે એસબીઆઇ બેંકના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતભાઈ બ્રહ્મક્ષત્રિય દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોય બી ડિવિઝન પોલીસે એટીએમ ચોરીના બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ વાંકાનેર હાઇવે ઉપર એટીએમમાં તોડફોડ કરીને ચોરીની ઘટનાઓ સામે આવી હતી.દરમિયાન થોડો સમય વિરામ રહ્યા બાદ પુન: મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસે એટીએમમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે તહેવાર સમયે નાઇટપેટ્રોલીગ સાબદુ કરવા લોકો માંગ કરી રહ્યા છે.






Latest News