મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના લગ્ન થઈ ગયા હતા. તેમ છતાં પણ તે યુવાન તે યુવતીને ફોન અને મેસેજ કરતો હતો જેથી યુવતીના પિતાએ યુવાનના પિતાને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ એક મહિલાને પણ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા જાતે અનુ. જાતી (55)એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઇ ચૌહાણ રહે. નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી, જેસીંગભાઇ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના દીકરાને આરોપી અરવિંદભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા છે તેમ છતાં ફરિયાદીનો દીકરો તેને ફોન અને મેસેજ કરતો હતો જેથી અરવિંદભાઈ ચૌહાણએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને સાહેદ હીરાબેનને પણ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાં આલીશાન મેહરાજભાઈ અહમદ (23) નામનો યુવાન તા.22 ના રાતે દસેક વાગ્યાના અરસામાં સૂતો હતો અને બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી કોઈપણ કારણોસર તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને તેનું રૂમમાં જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને અજહરખાન કમરૂદ્દીનખાન પઠાણ રહે. રાઘવ કોમ્પ્લેક્સ લીલાપર વાળો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ એસ.વી.સોલંકી કરી રહ્યા છે.






Latest News