મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના લગ્ન થઈ ગયા હતા. તેમ છતાં પણ તે યુવાન તે યુવતીને ફોન અને મેસેજ કરતો હતો જેથી યુવતીના પિતાએ યુવાનના પિતાને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ એક મહિલાને પણ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા જાતે અનુ. જાતી (55)એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઇ ચૌહાણ રહે. નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી, જેસીંગભાઇ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના દીકરાને આરોપી અરવિંદભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા છે તેમ છતાં ફરિયાદીનો દીકરો તેને ફોન અને મેસેજ કરતો હતો જેથી અરવિંદભાઈ ચૌહાણએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને સાહેદ હીરાબેનને પણ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાં આલીશાન મેહરાજભાઈ અહમદ (23) નામનો યુવાન તા.22 ના રાતે દસેક વાગ્યાના અરસામાં સૂતો હતો અને બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી કોઈપણ કારણોસર તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને તેનું રૂમમાં જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને અજહરખાન કમરૂદ્દીનખાન પઠાણ રહે. રાઘવ કોમ્પ્લેક્સ લીલાપર વાળો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ એસ.વી.સોલંકી કરી રહ્યા છે.






Latest News