મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના લગ્ન થઈ ગયા હતા. તેમ છતાં પણ તે યુવાન તે યુવતીને ફોન અને મેસેજ કરતો હતો જેથી યુવતીના પિતાએ યુવાનના પિતાને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ એક મહિલાને પણ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા જાતે અનુ. જાતી (55)એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઇ ચૌહાણ રહે. નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી, જેસીંગભાઇ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના દીકરાને આરોપી અરવિંદભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા છે તેમ છતાં ફરિયાદીનો દીકરો તેને ફોન અને મેસેજ કરતો હતો જેથી અરવિંદભાઈ ચૌહાણએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને સાહેદ હીરાબેનને પણ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાં આલીશાન મેહરાજભાઈ અહમદ (23) નામનો યુવાન તા.22 ના રાતે દસેક વાગ્યાના અરસામાં સૂતો હતો અને બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી કોઈપણ કારણોસર તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને તેનું રૂમમાં જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને અજહરખાન કમરૂદ્દીનખાન પઠાણ રહે. રાઘવ કોમ્પ્લેક્સ લીલાપર વાળો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ એસ.વી.સોલંકી કરી રહ્યા છે.






Latest News