મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં પ્રેમ સબંધનો ખાર રાખીને યુવાનના પિતાને યુવતીના પિતા સહિત ત્રણ શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના લગ્ન થઈ ગયા હતા. તેમ છતાં પણ તે યુવાન તે યુવતીને ફોન અને મેસેજ કરતો હતો જેથી યુવતીના પિતાએ યુવાનના પિતાને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ એક મહિલાને પણ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ઉભડીયા જાતે અનુ. જાતી (55)એ હાલમાં અરવિંદભાઈ ઉકાભાઇ ચૌહાણ રહે. નજરબાગ રોડ જીવરાજ પાર્ક સોસાયટી મોરબી, જેસીંગભાઇ ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌહાણની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના દીકરાને આરોપી અરવિંદભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને અરવિંદભાઈની દીકરીના લગ્ન થઈ ગયા છે તેમ છતાં ફરિયાદીનો દીકરો તેને ફોન અને મેસેજ કરતો હતો જેથી અરવિંદભાઈ ચૌહાણએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને સાહેદ હીરાબેનને પણ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાં આલીશાન મેહરાજભાઈ અહમદ (23) નામનો યુવાન તા.22 ના રાતે દસેક વાગ્યાના અરસામાં સૂતો હતો અને બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યા સુધી કોઈપણ કારણોસર તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો અને તેનું રૂમમાં જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને અજહરખાન કમરૂદ્દીનખાન પઠાણ રહે. રાઘવ કોમ્પ્લેક્સ લીલાપર વાળો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ એસ.વી.સોલંકી કરી રહ્યા છે.




Latest News