મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત


SHARE







મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત

મોરબી જિલ્લામાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવી ગયેલ છે અને જે ચાર સેમ્પલ મોકલાવ્યા હતા તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જો કે, તે દર્દીનુ સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ મોત નીપજયું હતું અને તકેદારીના ભાગરૂપે હાલમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે જેથી કરીને લોકોની ચિંતાના સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા અને તે ચાર પૈકીના એક દર્દીનો ચાંદીપુરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જો કે, બાકીના ત્રણ દર્દીઓનો રીપોર્ટ નેગેટિવ આવેલ છે તેવી માહિતી અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે અને જે દર્દીનો ચાંદીપુરાનો રીપોર્ટ પોઝીટીવી આવ્યો છે તેની સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ અગાઉ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

હાલમાં મોરબી જિલ્લાના જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડસ્ટિંગ અને સ્પ્રેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ચાંદીપુરાનો એક શંકાસ્પદ દર્દી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના રિપોર્ટ માટે પુનાની લેબમાં સેમ્પલ મોકલાવ્યું છે.

વધુમાં મળી રહેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં જે ચાર ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવેલ છે તેમાંથી ત્રણ કેસ બહારના જિલ્લામાંથી મંજૂરી કરવા માટે મોરબી જિલ્લાના આવેલા પરિવારના બાળકોના હતા અને તેમાંથી બે પરિવાર મોરબી તાલુકાનાં કારખાનામાં કામ કરતાં હતા અને એક પરિવાર ટંકારા તાલુકાનાં વાડી વિસ્તારમાં કામ કરતું હતું. અને જો કે, મોરબી તાલુકાનાં ચાંચાપર ગામે રહેતા પરિવારના એક બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેની તબિયત પણ સારી હોવાનું જાણવા મળેલ છે.






Latest News