મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત


SHARE













મોરબી જિલ્લામાંથી લેબમાં મોકલાયેલ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલમાંથી એકને ચંદિપુરા પોઝિટિવ, રિપોર્ટ પહેલા જ દર્દીનુ મોત

મોરબી જિલ્લામાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવી ગયેલ છે અને જે ચાર સેમ્પલ મોકલાવ્યા હતા તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જો કે, તે દર્દીનુ સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ મોત નીપજયું હતું અને તકેદારીના ભાગરૂપે હાલમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે જેથી કરીને લોકોની ચિંતાના સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ ચાર દર્દીઓના પુનાની લેબમાં સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતા અને તે ચાર પૈકીના એક દર્દીનો ચાંદીપુરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જો કે, બાકીના ત્રણ દર્દીઓનો રીપોર્ટ નેગેટિવ આવેલ છે તેવી માહિતી અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે અને જે દર્દીનો ચાંદીપુરાનો રીપોર્ટ પોઝીટીવી આવ્યો છે તેની સેમ્પલ મોકલાવવામાં આવ્યું હતું ત્યારે જ અગાઉ સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

હાલમાં મોરબી જિલ્લાના જે વિસ્તારમાંથી શંકાસ્પદ અને પોઝિટિવ ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારમાં ડસ્ટિંગ અને સ્પ્રે કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં મોરબી, હળવદ અને ટંકારા તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડસ્ટિંગ અને સ્પ્રેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ચાંદીપુરાનો એક શંકાસ્પદ દર્દી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના રિપોર્ટ માટે પુનાની લેબમાં સેમ્પલ મોકલાવ્યું છે.

વધુમાં મળી રહેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં જે ચાર ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવેલ છે તેમાંથી ત્રણ કેસ બહારના જિલ્લામાંથી મંજૂરી કરવા માટે મોરબી જિલ્લાના આવેલા પરિવારના બાળકોના હતા અને તેમાંથી બે પરિવાર મોરબી તાલુકાનાં કારખાનામાં કામ કરતાં હતા અને એક પરિવાર ટંકારા તાલુકાનાં વાડી વિસ્તારમાં કામ કરતું હતું. અને જો કે, મોરબી તાલુકાનાં ચાંચાપર ગામે રહેતા પરિવારના એક બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેની તબિયત પણ સારી હોવાનું જાણવા મળેલ છે.




Latest News