મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ

સિંધાવદર પીએસસીના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મેડિકલ ઓફિસર ભાવિકા ચંદારાણા અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ઘરે ઘરે જઈ તાવના કેસ શોધી સારવાર આપવી, મચ્છરના પોરા(લાર્વા)નાશક દવા નાખવી, નકામા પાણીના પત્રોનો નિકાલ, પત્રિકા વિતરણ, પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. હાલમાં બાળકોમાં જોવા મળતો ચાંદીપુરા વાયરસજન્ય રોગના ફેલાવા બાબતે લેવાની કાળજી, ગામમાં જંતુનાશક ડસ્ટીંગ કામગીરી, તેમજ ગ્રામજનોને આ રોગ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશન ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પાણીમાં નાખવાની ક્લોરિન ગોળીનું ઘરે ઘરે વિતરણ, પાણીને ઉકાળીને પીવું, કંઈ ઇમરજન્સીમાં તત્કાલ ક્યાં દાખલ થવું વગેરે બાબતો અંગેની આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામાં ફેલાતા રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.






Latest News