વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી
SHARE
વીર શહીદો અમર રહો: મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી નીકળી
કારગિલ વિજય દિવસની ૨૫ મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ મોરબી જીલ્લા યુવા ભાજપ અને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલીનું આયોજન કરવા માં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબના ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાં થઈ ઓમ શાંતિ સ્કૂલ સુધી ગયેલ હતો અને ત્યારે “વીર શહીદો અમર રહો", "ભારત માતા કી જય , વંદે માતરમ્" ના નાદથી રોડ ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા, મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ મોરબી શહેર યુવા ટીમ શહેર પ્રમુખ જયદીપભાઈ,મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમ હાજર રહી હતી.