ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE















વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.




Latest News