મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE



























વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.






Latest News