મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE













વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.








Latest News