વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત મોરબીમાં કોર્પોરેટર પૂનમબેન દ્વારા સરકારની વિવિધ યોજનાના કામો માટેનો કેમ્પ યોજાયો મોરબી નજીક કારખાનાની રૂમમાં ગળાફાંસો ખાઈને યુવતીનો આપઘાત, કાયાજી પ્લોટ વિસ્તારમાં ઘરમાં બેભાન થઈ ગયેલ યુવાનનું મોત વાંકાનેરમાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત મોરબીના રોયલ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા હળવદમાં નજીવી વાતે મહિલાને ગાળો આપીને માર માર્યો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ હળવદના નવા દેવળીયા ગામે રહેતા ખેડૂતના શ્રમિકો 49 મણ અને બીટી કપાસના વાવેતરની 13 થેલીઓ મળીને 1.83 લાખનો માલ ચોરી ગયા અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE











વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.






Latest News