મોરબીમાં સલૂનમાં વાળ કપાવા બાબતે પિતા-પુત્રને માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં વસ્તી ગણતરીમાં શિક્ષકોની પડતી મુશ્કેલીઓ બાબતે કમિશ્નરને રજૂઆત કરતું શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો ટંકારાના સરાયા ગામે આડા સબંધની શંકાએ પતિએ કરી નાખી પત્નીની હત્યા માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના નાગડાવાસ નજીક પાણીની મેઇન લાઈનના એર વાલ્વને નુકશાન કરનારા જમીનના માલિક સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં યુવાને જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ


SHARE











વાંકાનેરથી દ્વારકાની બસ સેવા એસટી વિભાગ દ્વારા શરૂ કરાઇ

રાજ્યસભાના સાંસદ  કેસરિદેવસિંહજી ઝાલાએ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપોમાં વાંકાનેર તાલુકાનાં લોકો માટે વાંકાનેરથી દ્વારકા બસ  સેવા ચાલુ કરવા માટે ભલામણ કરી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારીની સૂચના મુજબ રાજકોટ વિભાગના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવવામાં આવ્યું હતું અને આજથી કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત મુકેશ ભગત દ્વારા બસને લીલી ઝંડી આપીને ડ્રાઈવર જે.કે. જાડેજા તેમજ કંડક્ટર જગદીશભાઈ ભરવાડના મીઠાં મોઢા કરાવી ફુલહાર કરીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળ ઉપપ્રમુખ જે.જે. જાડેજા, યુનિટ સેક્રેટરી અશોકભાઈ થુલેટીયા, સેન્ટ્રલ આગેવાન સહદેવસિંહ ઝાલા, પ્રતિનિધિ ગુલાબભાઇ બરેડીયા, રહીમભાઈ પરમાર, હકુવીરસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ પૈજા, પ્રતિનિધિ જયદેવસિંહ ઝાલા, જીતુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, હમિદભાઈ કાદરી, એસ.વી. ઝાલા, બી.ડી. ગોહિલ, તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.






Latest News