મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં સહકારી ક્ષેત્રનું મહત્વ અને ભવિષ્ય અંગે સેમીનાર યોજાયો


SHARE













વિકાસલક્ષી વિવિધ યોજનાઓ તેમજ સહકારી પ્રવૃતી બાબતે અને સહકારી તેમજ નાગરીક શરાફી મંડળીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨૭-૧૦ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરી દ્વારા જિલ્લા સહકારી સંઘ લી. રાજકોટના સૌજન્યથી મોરબી, માળીયા અને ટંકારા તાલુકાની કૃષી વિષયક ધિરાણ કરતી સેવા મંડળીઓ અને નાગરીક શરાફી મંડળીઓના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી માર્કેટ યાર્ડ ખાતે આયોજિત આ સેમીનારમાં જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લાના સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવા સહકારી મંડળીઓ અને નાગરીક શરાફી સહકારી મંડળીઓના પદાધિકારીઓ-અધિકારીઓ હાજર રહ્યા હતા.સેમીનારમાં સહકારી મંડળીઓ માટે રાજ્ય સરકારની વિકાસલક્ષી વિવિધ યોજનાઓ વિષે વિગતે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારત અને ગુજરાતમાં સહકારી પ્રવૃતી બાબતે જાગૃતતા, સહકારી ક્ષેત્રનું મહત્વ અને ભવિષ્ય બાબતે હાજર રહેલ તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.








Latest News