મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા


SHARE













મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા

પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી


મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે.બનાવની જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ માળીયાના વેણાસર ગામના રહેવાસી રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરનાગાળે નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોય બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક રણજીતભાઇ કુંવરીયાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.મૃતકના પરિવારજનોની ફરીયાદ લઇને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી પાડવા પીએસઆઇ ચુડાસમાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારા કાર ચાલકે પોતાની કારની મૃતક રણજીતભાઇની ઉપર ફેરવી દીધી હોય અને તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી રણજીતભાઇનું મોત નિપજયુ હોવાનું હાલ જાણવા મળેલ છે.જોકે કયા કારણોસર બનાવ બન્યો અને કોણ હત્યા નીપજાવીને નાસી છૂટ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News