મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા


SHARE













મોરબી જીલ્લાના માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા

પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી


મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે.બનાવની જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ માળીયાના વેણાસર ગામના રહેવાસી રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરનાગાળે નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોય બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક રણજીતભાઇ કુંવરીયાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.મૃતકના પરિવારજનોની ફરીયાદ લઇને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી પાડવા પીએસઆઇ ચુડાસમાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારા કાર ચાલકે પોતાની કારની મૃતક રણજીતભાઇની ઉપર ફેરવી દીધી હોય અને તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી રણજીતભાઇનું મોત નિપજયુ હોવાનું હાલ જાણવા મળેલ છે.જોકે કયા કારણોસર બનાવ બન્યો અને કોણ હત્યા નીપજાવીને નાસી છૂટ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.








Latest News