મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વેણાસરમાં જમવાના ઝઘડામાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા: બે સામે ગુનો નોંધાયો


SHARE

















માળીયા(મી)ના વેણાસરમાં જમવાના ઝઘડામાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા: બે સામે ગુનો નોંધાયો

મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવામાં આવેલ છે જેથી નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી અને હત્યાના આ બનાવના જાણ થતા પીએસઆઇ ચુડાસમા અને પોલીસ સ્ટાફ વેણાસર ગામે પહોચ્યા હતા અને મૃતકના પરિવારજનોના કહેવા મુજબ ગામના જ બે શખ્સોએ મૃતક યુવાન ઉપર ગાડી ચડાવીને તે તેની હત્યા કરેલ છે જો કેહાલમાં મૃતક યુવાનના ભાઈજીના દીકરા ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા(મી)ના વેણાસર ગામના રહેતા રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરના સમયે ગામની બાજુમાં નદીની પાસે સીમ વિસ્તારમાં જમવા માટેનો કરેલ જેમાં મૃતક રણજીત અને તેનો કૌટુંબીક ભાઈ સહિતના ભેગા થયા હતા ત્યારે રણજીતને જમવા બાબતે વેણાસર ગામે જ રહેતા સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો ત્યારે રણજીત સાથેના અગાઉના મનદુખનો ખાર રાખીને તેના ઉપર ગાડી નંબર જીજે ૧૭ એન ૪૪૯૫ ચડાવી દઇને રણજીતની નિર્મમ હત્યા કરી નાંખી હતી અને આ બનાવમાં પ્રકાશભાઈ અને અશોકભાઇ કુવરિયાને પણ નાના મોટી ઇજાઓ થઈ હતી અને સારવાર લીધા બાદ હત્યાના આ બનાવમાં અશોકભાઇ જીલુભાઇ કુવરિયાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને હત્યાના બનાવને અંજામ આપનારને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી કરેલ છે

વેણાસર ગામે જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કાકા બિજલભાઇ સામાભાઇ કુંવરીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આરોપીઓ દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને દારૂ બાબતે અગાઉ રણજીત સાથે માથાકૂટ થયેલ હતી અને તે બાબતનો ખાર રાખીને જ રણજીતની હત્યા કરવામાં આવી છે  વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારાએ પોતાની કારને મૃતક રણજીતભાઇની ઉપર એકથી વધૂ વખત ફેરવીને તેનું ઘટના સ્થળે મોત નીપજવ્યું હતું અને ઈરાદાપૂર્વક જ રણજીતની હત્યા કરવામાં આવેલ છે અને હત્યાના આ બનાવના લીધે રણજીતભાઇના ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર ઉપર આભ ફાટી પડયુ છે

હાલ હત્યાના આ બનાવની પોલીસે ફરિયાદ લીધેલ છે અને હત્યારાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, ગામના લોકોના કહેવા મુજબ દારૂના દૂષણના લીધે જ હત્યાનો આ બનાવ બનેલ છે ત્યારે મોરબી જીલ્લામાં અન્ય અઘટિત બનાવ ન બને તેના માટે વેણાસર સહિત મોરબી જીલ્લામાં જે દારૂનું મોટા પ્રમાણમા નેટવર્ક ચાલી રહ્યું છે તેને રોકવા માટે પોલીસ સઘન કામગીરી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કેમ કે, મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો સામાન્ય બની ગઇ હોય તેમ જુદાજુદા વિસ્તારોની અંદર હત્યાના બનાવો બની રહ્યા છે મોરબીની અંદર છરીના ઘા જીકીને હત્યા કરવીફાયરિંગ કરીને હત્યા કરવી વિગેરે બનાવોની સહી હજી સુકાઈ નથી ત્યાં માળીયા તાલુકાના વેણાસર ગામે યુવાનની નિર્મમ હત્યા કાર ચડાવીને કરવામાં આવી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબી જિલ્લાની અંદર કથડી હોય તેવું દેખાઈ રહ્યું છે




Latest News