મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત​​​​​​​ 


SHARE













મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફિસ તરફ જવાના રસ્તા ઉપર થી બાઇક લઈને પસાર થતા વૃદ્ધના બાઇકને પાછળથી આવી રહેલી બાઈકના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઈજાઓ થઈ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતકના દીકરાએ અકસ્માત સર્જનાર સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી હોય તો મને મોરબી નજીકના નવી ટિંબડી પાસે આનંદ હોટલની બાજુમાં રહેતા શૈલેષભાઈ રતનસંગભાઈ જારીયા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૩૩)એ બાઇક નંબર જીજે ૩૮ અરબી ૩૩૭૭ નાં ચાલક જયદીપભાઇ દિલીપભાઈ અકબરી જાતે પટેલ (ઉંમર ૨૪) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પરશુરામ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા (ઉંમર ૬૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૩૩૮ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક થી જૂની પોસ્ટ ઓફિસ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે ગત ૭/૧૦ ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના બાઈકથી તેઓના પિતાના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં રતનસંગભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને અકસ્માતના બનાવની શૈલેષભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપભાઇ અકબરીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News