એક પેડ માં કે નામ: મોરબીમાં ડીડીઓની હાજરીમાં પેટ્રોલપંપ એસો. દ્વારા વૃક્ષારોપણ
મોરબી જિલ્લાની ૩૦ શાળામાં ગુરુ વંદન અને છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લાની ૩૦ શાળામાં ગુરુ વંદન અને છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ગુરૂવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની 30 શાળામાં ગુરુ વંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૩૦ શાળાઓના ૭૧૯૮ વિદ્યાર્થીઓએ તથા ૩૫૬ શિક્ષકોએ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ૩૦ શાળાના ધો. ૧ થી ૧૨ ના કુલ ૨૪૬ વિદ્યાર્થીઓ તથા૨૫૩ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, સચિવ હિંમતભાઈ મારવાણીયા, GVCA સંયોજક દિનેશભાઈ હુંબલ, GVCA સહ સંયોજક હરદેવભાઈ ડાંગર તથા અન્ય સભ્યો સહિત ૪૦ સદસ્યો જોડાયા હતા.