મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા યુવાનના સાળા સાથે જમીન બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા કુહાડી અને લાકડી વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મારામારી અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ પરસોતમભાઈ કોળી (ઉંમર ૩૭) ઉપર તે  ગામની અંદર રહેતા સંજયભાઈ ગગજીભાઈભુપતભાઈ લાભુભાઈકરણભાઈ ભુપતભાઈકિશનભાઇ ભુપતભાઈ અને અશોકભાઈ નાથાભાઈએ તા ૧૫/૬ ના રોજ હુમલો કર્યો હતો અને તેને કુહાડી તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મુકેશભાઈ પરસોત્તમભાઈએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી માટે પોલીસે રાયોટિંગ તથા મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે સંજયભાઈ ગગજીભાઈ ઝીઝવાડિયા (૨૫)ભુપતભાઈ લાભુભાઈ ઝીઝવાડિયા (૩૬)અને અશોકભાઈ નાથાભાઈ ઝીઝવાડિયા (૩૧) રહે બધા જ નવાગામ (લખધીરનગર) વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં બે આરોપી પકડવાના બાકી છે 




Latest News