મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો


SHARE













વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં અજંતા પાનની દુકાન પાસે આધેડે અગાઉ આપેલા હાથ ઉછીના 200 રૂપિયા પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને ગાળો આપીને ઈંટ વડે ડાબા હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની ભોગ બનેલા આધેડે વાંકાનેર  સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત આધારે વાંકાનેરમાં આવેલ મિતુલ પટેલ ના દવાખાનાની પાછળના ભાગમાં અમરનાથ સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા રમેશભાઈ હરજીભાઈ પટેલ (53) એ વિજયભાઈ સોમાભાઈ બાવળીયા રહે. જીનપરા શેરી નંબર 12 વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે બે દિવસ પહેલા તેણે વિજયભાઈ ને હાથ ઉછીના ₹200 આપ્યા હતા જે પૈસા તેણે પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ ઈંટના ટુકડાનો ઘા કરી ને ફરિયાદીને હાથના કાંડાના ભાગે મૂઢમાર માર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા આધારીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News