મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શરદપૂર્ણિમાના દિવસે ઉમિયા માતાજીનો યજ્ઞ, કુંવારીકા પૂજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા અને ત્યારે સંત રત્નેશ્વરી માતાજીના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગર સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી અને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અઘારા, કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Latest News