મોરબી પાલિકામાં 45 (ડી) હેઠળ કરેલ કામગિરિની માહિતી પાલિકા ન આપે તો કોંગ્રેસના ધરણા
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો
SHARE








મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં શરદપૂર્ણિમા મહોત્સવ યોજાયો
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શરદપૂર્ણિમાના દિવસે ઉમિયા માતાજીનો યજ્ઞ, કુંવારીકા પૂજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા અને ત્યારે સંત રત્નેશ્વરી માતાજીના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગર સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી અને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અઘારા, કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

