મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન


SHARE















મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજના રાજકીય અને સામાજિક આવેગનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે ક્ષત્રિય સમાજના જુદાજુદા કાર્યક્રમોમાં માતબર દાન આપતા દાતાઓની સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. 17 ને ગુરુવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે હવન-યજ્ઞાદિ 8:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ 12:30 વાગ્યે કરવામાં આવી હતી આ તકે સન્માન સમારોહ પણ યોજાયો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહ જનકસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ શનાળાના શક્તિ માતાજીનાં મંદિરના મહંત સહિતના હાજર રહ્યા હતા આ તકે જયદીપ કંપની ગ્રૂપના જયુભા જાડેજા તેમજ દેવ સોલ્ટ ગ્રૂપના જયરાજસિંહનું ઝાલા પરિવાર વતી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કેઝાલા અને તેની ટિમ તથા નિરુભા ઝાલા અને મહેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. 






Latest News