મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

નાદારી નોંધાવી ?: મોરબી, હળવદ અને માળીયા પાલિકાનું 27 કરોડથી વધુની વીજ બિલ બાકી !


SHARE















નાદારી નોંધાવી ?: મોરબી, હળવદ અને માળીયા પાલિકાનું 27 કરોડથી વધુની વીજ બિલ બાકી !

મોરબી જીલ્લામાં ચાર નગરપાલિકા આવેલ છે તેમાંથી ત્રણ નગરપાલિકાએ નાદારી નોધાવેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોક્તિ નથી કેમ કે, મોરબી, હળવદ અને માળીયા પાલિકાના વીજ બિલ છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવેલ નથી જેથી કરીને વીજ કંપનીએ 27 કરોડ રૂપિયા આ ત્રણ પાલિકા પાસેથી વસૂલ કરવાના બાકી છે.

છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં અણઘડ વહીવટને કારણે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગયેલ છે. અને સ્વભંડોળની રકમ પણ વાપરી નાખેલ છે જેથી કરીને પાલિકાઓની તિજોરી ખાલીખમ છે. આવી જ પરિસ્થિતી મોરબી જીલ્લામાં આવેલ ચાર પાલિકા પૈકીની ત્રણ પાલિકાની છે રાજ્યની નગરપાલિકાઓમાં મોરબી પાલિકાનો એ ગ્રેડમાં સમાવેશ થાય છે જો કે, આ પાલિકાનું તિજોરી સાફ કરી નાખેલ છે જેથી વર્ષ 2022 માં ઝુલતો પુલ તૂટ્યો ત્યાર પછીથી પાલિકાએ એક પણ બિલ ભરેલ નથી એટ્લે કે બે વર્ષથી બિલ ભરેલ ન હોવાથી હાલમાં મોરબી પાલિકાનું 12 કરોડ જેટલું બિલ બાકી છે.

આવી જ રીતે હળવદ પાલિકાએ પણ છેલ્લા ઘણા વર્ષોથી વીજ બિલની રકમ ભરેલ નથી જેથી તેનું 15 કરોડથી વધુનું બિલ બાકી છે અને માળીયા પાલિકાના પણ 67 લાખ જેટલું બિલ ભરવાનું બાકી છે અને પાલિકામાં કોઈ આવક કે બચત ન હોવાથી હાલમાં આ ત્રણેય પાલિકાને વીજ બિલ ભરવાના પણ ફાંફા થઈ ગયા છે અને વીજ બિલ ભરવા માટે હાલમાં સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવેલ છે. તેવું પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાની ત્રણ પાલિકાનું જે 27 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે તે માહિતી મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક પી.પી. બાવરવા પાસેથી જાણવા મળેલ છે.

હાલમાં પાલિકની જે વીજ કંપનીના બિલની કરોડો રૂપિયાની રકમ ભરવાની બાકી છે તે રકમ પાલિકાઓ દ્વારા વીજ કંપનીની તિજોરીમાં કયારે ભરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. અત્રે ઉલેખનીય છે કે, લોકોના ઘર સુધી પાણી પહોચાડવા માટે તેમજ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા માટે જે વીજ પુરવઠો વપરાઇ છે તેનું બિલ પાલિકાએ ભરવાનું હોય છે અને આ રકમ ભરવા માટે મિલકત ધારકો પાસેથી પાલિકા દ્વારા ટેક્સ રૂપે રૂપિયા લઈ લેવામાં આવે છે જો કે, પાલિકાએ રૂપિયા વીજ કંપનીમાં જમા કરાવતી નથી જેથી કરીને વીજ કંપનીનું માંગણું સતત વધી રહ્યું છે.






Latest News