મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

ધરમ કરતાં ધાડ પડી: મોરબીના પત્નીઓની સાથે જાહેરમાં ઝઘડો કરનારા બે સગાભાઈને સમજાવા ગયેલા વૃદ્ધને માર માર્યો


SHARE













ધરમ કરતાં ધાડ પડી: મોરબીના પત્નીઓની સાથે જાહેરમાં ઝઘડો કરનારા બે સગાભાઈને સમજાવા ગયેલા વૃદ્ધને માર માર્યો

મોરબીના મુનનગર ચોકમાં પાનની દુકાન પાસે ઉભેલા વૃદ્ધે જાહેરમાં પત્ની સાથે ઝઘડો કરી રહેલા બે વ્યક્તિઓને ઝઘડો નહીં કરવા માટે કહ્યું હતું જે બાબતનો ખાસ રાખીને સામેવાળાઓએ વૃદ્ધની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર મુનનગર ચોક શેરી નં-3 માં રહેતા રાજેન્દ્રભાઈ મોહનભાઈ દેત્રોજા (60) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ત્રિભુવનભાઈ સવસાણી અને પિયુષભાઈ ત્રિભુવનભાઈ સવસાણી રહે. બંને શિવમ એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ સામે રવાપર ઘુનડા રોડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના મુનનગર ચોક પાસે પાનની દુકાને તેઓ ઉભા હતા ત્યારે વિજયભાઈ અને પિયુષભાઈ જાહેરમાં પોતાના પત્નીઓ સાથે બોલાચાલીને ઝઘડો કરતા હતા જેથી ફરિયાદી વૃધ્ધે તેમને સોસાયટીમાં ઝઘડો નહીં કરવા માટે કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા વિજયભાઈ અને પિયુષભાઈએ ફરિયાદીની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ભીમસર બ્રિજ ઉપરથી મોરબીના લખધીરપુર ગામે ખોડીયારપરામાં રહેતા હકાભાઇ ભગાભાઈ પાટડીયા (28) બાઈક નંબર જીજે 36 એઇ 4676 લઈને માળિયા ખાતે તેઓના કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જતા હતા ત્યારે ટ્રક નંબર જીજે 12 એક્સ 2809 ના ચાલકે તેઓના બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને યુવાનને ડાબા પગના અંગૂઠાના ભાગે ફેક્ચર તથા ડાબા હાથમાં અને કમરના ભાગે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે માળીયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News