માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત


SHARE













મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીમોરબીમાં રેલવેની સુવિધા વધારવા માટે અને લાંબા અંતરની તેમજ સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા આપવા માટે સાંસદને લેખિત રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાને રેલવેની લાંબા અંતરની ગાંધીધામથી કામ્ખીયા સુધી એક જ વિકલી ટ્રેન સિવાઈ કોઈ ટ્રેન મળી રહી નથી. જેથી મોરબીના તમામ લોકો, વેપારીઓ, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિઓને હેરાન થવું પડે છે અને જો મોરબીને ભૂજ-ગાંધીધામ-મોરબી-હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેમજ ડેઇલી ભુજ-અમદાવાદ જે વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. તેમજ મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ અને ગાંધીધામથી કામ્ખીયા વચ્ચે જે ટ્રેન આપવામાં આવી છે તેના ફેરામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News