મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત


SHARE











મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીમોરબીમાં રેલવેની સુવિધા વધારવા માટે અને લાંબા અંતરની તેમજ સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા આપવા માટે સાંસદને લેખિત રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાને રેલવેની લાંબા અંતરની ગાંધીધામથી કામ્ખીયા સુધી એક જ વિકલી ટ્રેન સિવાઈ કોઈ ટ્રેન મળી રહી નથી. જેથી મોરબીના તમામ લોકો, વેપારીઓ, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિઓને હેરાન થવું પડે છે અને જો મોરબીને ભૂજ-ગાંધીધામ-મોરબી-હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેમજ ડેઇલી ભુજ-અમદાવાદ જે વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. તેમજ મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ અને ગાંધીધામથી કામ્ખીયા વચ્ચે જે ટ્રેન આપવામાં આવી છે તેના ફેરામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News