મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત


SHARE













મોરબીમાં ભાજપના આગેવાને ટ્રેનની સુવિધા વધારા માટે સાંસદને કરી રજૂઆત

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીમોરબીમાં રેલવેની સુવિધા વધારવા માટે અને લાંબા અંતરની તેમજ સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા આપવા માટે સાંસદને લેખિત રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાને રેલવેની લાંબા અંતરની ગાંધીધામથી કામ્ખીયા સુધી એક જ વિકલી ટ્રેન સિવાઈ કોઈ ટ્રેન મળી રહી નથી. જેથી મોરબીના તમામ લોકો, વેપારીઓ, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિઓને હેરાન થવું પડે છે અને જો મોરબીને ભૂજ-ગાંધીધામ-મોરબી-હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેમજ ડેઇલી ભુજ-અમદાવાદ જે વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. તેમજ મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ અને ગાંધીધામથી કામ્ખીયા વચ્ચે જે ટ્રેન આપવામાં આવી છે તેના ફેરામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. 




Latest News