મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત


SHARE







મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે નવો બનાવવામાં આવેલ છે અને ત્યાં લાઈટ નાખેલ છે પરંતુ તે લાઇટને ચાલુ કરવામાં આવતી નથી. જેથી લાઈટોને ચાલુ કરવા માટે સામાજીક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાખવામાં આવેલ છે પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. જેમાં ભકિતનગર ઓવરબ્રીજ તેમજ નવલખી રોડ ઉપર બનાવેલ રેલ્વે ઓવરબ્રીજનો  સમાવેશ થયે છે અને ત્યાં નાખેલ લાઈટો બંધ છે જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને જરૂરી સુચાનાઓએ આપીને આ લાઇટો ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News