મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત


SHARE













વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ટ્રેન અકસ્માતની બે ઘટના બની હતી જેમાં એક 35 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો અને બીજા બનાવમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા 55 વર્ષના આધેડનું મોત નીપજયું છે. આ બંને બનાવની રેલ્વે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ સોમવારે ભાવનગર ઓખા લોકલ ટ્રેન લુણસરીયા તથા વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો 35 વર્ષનો યુવાને ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભરી ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ યુવાને જમણા હાથની કલાઈ પર વીંછીનું ચિત્ર ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનને કોઈ ઓળખાતા હોય તો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આવી જ રીતે બીજી ઘટનામાં દલડી અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે જામનગરથી વડોદરા ઇન્ટરસીટી ટ્રેન જતી હતી ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી અજાણ્યા 55 વર્ષના આધેડ પડી ગયા હતા જેથી કરીને તેમને માથા અને શરીરે ગંભીર ઈજા થવાથી તે આધેડનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના નાકની ડાબી બાજુ મશાનું નિશાન છે જેથી આ મૃતક આધેડને ઓળખતા હોય તેમણે વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા ખોડાભાઈ મકવાણાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News