મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત


SHARE













વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ટ્રેન અકસ્માતની બે ઘટના બની હતી જેમાં એક 35 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો અને બીજા બનાવમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા 55 વર્ષના આધેડનું મોત નીપજયું છે. આ બંને બનાવની રેલ્વે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ સોમવારે ભાવનગર ઓખા લોકલ ટ્રેન લુણસરીયા તથા વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો 35 વર્ષનો યુવાને ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભરી ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ યુવાને જમણા હાથની કલાઈ પર વીંછીનું ચિત્ર ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનને કોઈ ઓળખાતા હોય તો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આવી જ રીતે બીજી ઘટનામાં દલડી અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે જામનગરથી વડોદરા ઇન્ટરસીટી ટ્રેન જતી હતી ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી અજાણ્યા 55 વર્ષના આધેડ પડી ગયા હતા જેથી કરીને તેમને માથા અને શરીરે ગંભીર ઈજા થવાથી તે આધેડનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના નાકની ડાબી બાજુ મશાનું નિશાન છે જેથી આ મૃતક આધેડને ઓળખતા હોય તેમણે વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા ખોડાભાઈ મકવાણાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News