ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસોસિયેશન સહિતના ડેલીગેશન દ્વારા પોર્ટુગલમાં આયોજિત મિટિંગમાં ચાઇનાની નીતિઓનો વિરોધ કરાયો


SHARE















મોરબી સિરામિક એસોસિયેશન સહિતના ડેલીગેશન દ્વારા પોર્ટુગલમાં આયોજિત મિટિંગમાં ચાઇનાની નીતિઓનો વિરોધ કરાયો

૨૧ નવેમ્બર ના રોજ  પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી.જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે.જેમાં પુરા વિશ્વભરમાંથી ૨૯ દેશ સભ્ય છે.તેમાંથી ૨૧ દેશના ડેલિગેશન આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહેલ.આ વર્કિંગ કમીટીની મીટીંગ પોર્ટુગલના ઇલ્હાવો સિટીમાં તા.૨૧ થી ૨૩ નવેમ્બર આયોજીત થયેલ.જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગમાં હાજરી આપવા ઇલ્હાવો - પોર્ટુગલમાં હાજર રહ્યા હતા.જેમાં પ્રસાંત  યાદવ (સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ-દિલ્હી), પ્રિજમ જોનસન લિમિડ દેવાસ એમપી), આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર (નેશનલ સેરા લેબ) એ હાજરી આપી હતી.

આ કમિટી મીટીંગમાં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના તરફથી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબતની ટેસ્ટ મેથળ રજુ કરેલ હતી.જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધ ને ટેકો આપવા  માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી.ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો.સેન્ડર્સ જોહ્ન પી (અમેરિકા) એ નોંધ લઇને ભારતની તરફેણમાં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ.આ નિર્ણયની માહીતી મિટીંગની મીનિટ નોંધમાંથી નોંધ પડ્યે નક્કી થશે કે ચેરમેનેશુ ચુકાદો આપ્યો. આ કમિટીમાં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.આ ટેસ્ટ આવવાથી આપણા મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે.કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારતમાં આ સ્ટાન્ડર્ડ  માટેનુંં રો મટીરીયલ અવેલેબલ નથી.જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો આ મુજબની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ ઉપર રો-મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે.આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો.




Latest News