મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મુંબઈ ખાતે એન.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ ખાતે વ્યાખ્યાન આપતા મોરબી ઓસેમ સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા


SHARE











મુંબઈ ખાતે એન.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ ખાતે વ્યાખ્યાન આપતા મોરબી ઓસેમ સ્કુલના પ્રિન્સિપાલ દીપા શર્મા

મુંબઈની સુપ્રસિધ્ધ કોલેજ દ્વારા મોરબીની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલના વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા

તાજેતરમાં મુંબઈ ખાતે નરશી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ દ્વારા ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સ્પીકર તરીકે મોરબીની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ સી.બી.એસ.ઈ. ના પ્રિન્સિપાલ દીપા શર્માને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.તેઓએ હોલીસ્ટીક લર્નિંગ, શિક્ષણમાં નવપ્રવર્તન, નેતૃત્વ કળાનો વિકાસ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રની માંગ સંતોષવા ભારતના યુવાનોમાં રહેલુ સામર્થ્ય સહીતના વિષયો ઉપર વ્યાખ્યાન આપ્યુ હતુ. તે ઉપરાંત ઓસેમ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
     
મુંબઈની પ્રતિષ્ઠીત એન.એમ. કોલેજ દ્વારા મોરબીની શાળાના પ્રિન્સ્પાલને વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જે બાબત સમગ્ર મોરબીના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે હરહંમેશ કટીબધ્ધ મોરબીની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને સુવર્ણ તક આપવામાં આવી હતી. સ્કુલના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા તેઓએ વિવિધ વ્યાખ્યાતાઓ સાથે સંવાદ કરી વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. શાળાના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓને મુંબઈની શ્રેષ્ઠ કોલેજમાં મળેલ તક બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ તથા સુર્યરાજસિંહ જેઠવાએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.






Latest News