મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ


SHARE













મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે થયેલ ચકચારી હત્યાના ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરતી સેસન્સ કોર્ટ

મોરબીના ધકકાવાડી મેલડીમાંના મંદીર પાસે વર્ષ-૨૦૨૨ માં થયેલ ચકચારી હત્યાના સેસન્સ કોર્ટે ગુનાના પાંચ આરોપીઓને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૧૨-૨૨ ના રોજ ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે મરણજનારને તા.૧૬-૧૨-૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધકકાવાળી મેલડીમાતાના મંદીર પાસે રેલ્વેના ખુલ્લા મેદાનમાં આરોપીઓએ ભોગ બનનાર તથા સાહેદ જીતેશ કાંતીભાઈ દેવીપુજક બન્ને જુની અદાવતનુ સમાધાન કરવા મોબાઈલ ફોનથી બોલાવી આરોપીઓએ ગેરકાયદેસરની મંડળી રચીને ભોગ બનનારને પેટના ભાગે તેમજ શરીરે દશ જેટલા છરીના ધા મારીને તથા લાકડી તથા ધોકાથી માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે જ ગંભીર પ્રકારની ઈજા કરી તથા સાહેદને લાકડીથી માર મારી નાશી જઈ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ ફરીયાદ આપેલ .જેથી રાજકોટ રેલ્વે પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪  ૧૨૦(બી) તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે.ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે.આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News