મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામે ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓના હસ્તે લોકાર્પણ થયું


SHARE













હળવદના માનસર ગામે રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓ જે.એસ. પ્રજાપતિના હસ્તે લોકાર્પણ થયું

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના હસ્તે હળવદ તાલુકાના માનસર ગામે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થાઓનું હાલમાં ગ્રામ પંચાયતના વડપણ હેઠળ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર ગટોરભાઈ ગોહિલ, હળવદ તાલુકા વિકાસ અધિકારી, એમ.કે. સિંધવ, જિલ્લા આંકડા અધિકારી સંદીપ પટેલ, આંકડા મદદનીશ અમૃતલાલ સંઘાણી, પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના સરપંચ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યઓ, ગામ આગેવાનઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News