મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીમાં વ્યાજખોરીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં રહેતા યુવાને આઠ વ્યાજખોરની સામે ફરિયાદ કરી હતી જેમાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપીના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીના જામીન મંજૂર કરેલ છે.

આ કેસની મળતી માહિતી મુજબ તા 2/12 ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ઉમંગભાઈ મકવાણાએ ૮ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતીજેમાં તેને જણાવ્યુ હતું કે, ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા વ્યાજે લીધેલ હતા તથા વ્યાજ અને મુળ રકમ પણ ચુકતે ન કરી શકતા આરોપીઓ ફરીયાદીના ભાઈ અને પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીયાદીના ભાઈનો જીવ જોખમમાં નાખી ફરીયાદી પાસે રૂપિયા લઈ લીધેલ છે તેમજ ફરીયાદી પાસેથી આરોપીઓએ 3 એકટીવા અને 1 સ્વીફટ કાર લઈ લીધેલ છે આટલું જ નહીં તેને ગાળો આપીને માર મારી ચેક રીર્ટન કરાવી કેસ કરવાની ધમકી આપતા હતા જે ગુનામાં પોલીસે આઠ પૈકીનાં ત્રણ આરોપી હીરાભાઈ દેવસીભાઈ રબારી, ભાવિક વિમલભાઈ સેજપાલ અને ઈન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્રણેયને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે આરોપીના વકીલની દલીલો સાંભળી કોર્ટે રીમાન્ડ અરજી નામંજુર કરી હતી જેથી આરોપીઓના વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા આરોપી હીરાભાઈ દેવસીભાઈ રબારી, ભાવીક વિમલભાઈ સેજપાલ અને ઈન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News