મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત

મોરબી જીલ્લામાં ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર તેના પશુની તસ્કરી કરવામાં આવતી હોય છે જેથી કરીને માલધારી વિકાસ સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કેઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરા લઈને જતાં હોય છે ત્યારે અવારનવાર પશુઓની તસ્કરી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવી માલધારીઓની ફરિયાદ ઉઠી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાં પશુની તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનેલ છે ત્યારે માલધારીઓની ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી સમયમાં ગુજરાતભરમાં માલધારીઓ અને માલધારી સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News