મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત

મોરબી જીલ્લામાં ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર તેના પશુની તસ્કરી કરવામાં આવતી હોય છે જેથી કરીને માલધારી વિકાસ સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કેઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરા લઈને જતાં હોય છે ત્યારે અવારનવાર પશુઓની તસ્કરી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવી માલધારીઓની ફરિયાદ ઉઠી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાં પશુની તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનેલ છે ત્યારે માલધારીઓની ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી સમયમાં ગુજરાતભરમાં માલધારીઓ અને માલધારી સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News