મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત


SHARE











મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત

મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણાપરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે આ બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને સામાજિક આગેવાનોએ મહાપાલિકામાં રજૂઆત કરીને ગંદકી કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મોરબી મહાપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણા પરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે અને વેપારી સહિતના લોકોએ અનેક રજૂઆત કરેલ છે તો પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોહાણાપરા 1 અને 2 માં ગટરની ગંદકી પથરાયેલ છે જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે જેથી લોકોની રજૂઆતોને ધ્યાને લઈને તાત્કાલીક પગલાં લેવાની અપીલ કરાઈ છે. અને તે વિસ્તારમાં ગટર તાત્કાલીક રીપેર કરીને ત્યાં ગટરમાં કોઈ પણ કચરો નાખશે તો તેની પાસેથી દંડ લેવાની પણ જોગવાઈ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે. 






Latest News