મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત


SHARE











મોરબીના લોહાણાપરામાં ઉભરાતી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકામાં રજૂઆત

મોરબીમાં શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણાપરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે આ બાબતે સ્થાનિક લોકોને સાથે રાખીને સામાજિક આગેવાનોએ મહાપાલિકામાં રજૂઆત કરીને ગંદકી કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મોરબી મહાપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, શાક માર્કેટની પાછળના ભાગમાં લોહાણા પરા વિસ્તારમાં ભુગર્ભ ગટરો છલકાય છે જેથી કરીને સ્થાનિક લોકોમ વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે અને વેપારી સહિતના લોકોએ અનેક રજૂઆત કરેલ છે તો પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોહાણાપરા 1 અને 2 માં ગટરની ગંદકી પથરાયેલ છે જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે જેથી લોકોની રજૂઆતોને ધ્યાને લઈને તાત્કાલીક પગલાં લેવાની અપીલ કરાઈ છે. અને તે વિસ્તારમાં ગટર તાત્કાલીક રીપેર કરીને ત્યાં ગટરમાં કોઈ પણ કચરો નાખશે તો તેની પાસેથી દંડ લેવાની પણ જોગવાઈ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે. 






Latest News