હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો


SHARE





મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા વેપારી યુવાને તેની સામેના ભાગમાં દુકાન ધારવતા વેપારી પાસેથી અગાઉ રૂપિયા લીધેલ હતા અને તે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમાં સમાધાન થઈ ગયું હતું. જોકે તે બાબતનો ખા રાખીને સામેવાળા વેપારી અને તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં. 8 માં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (39હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખ, તેના ભાઈ કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખઅને જયરાજભાઇ કાનાભાઈ રહે. તમામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગ નામની તેની દુકાન આવેલ છે અને તેની સામે આરોપી ચિરાગભાઈખ્ખની મહાવીર ટ્રેડિંગ નામની દુકાન આવેલ છે અને અગાઉ ચિરાગભાઈખ્ખર પાસેથી ફરિયાદીએ રૂપિયા લીધેલા હતા અને તે બાબતે પોલીસમાં અરજી કરેલ હતી જો કે, તે બાબતે સમાધાન થઈ ગયું હતું તો પણ તેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પાડતા ચિરાગભાઈખ્ખરે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે માર માર્યો હતો તથા અન્ય બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News