મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો


SHARE











મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા વેપારી યુવાને તેની સામેના ભાગમાં દુકાન ધારવતા વેપારી પાસેથી અગાઉ રૂપિયા લીધેલ હતા અને તે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમાં સમાધાન થઈ ગયું હતું. જોકે તે બાબતનો ખા રાખીને સામેવાળા વેપારી અને તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં. 8 માં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (39હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખ, તેના ભાઈ કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખઅને જયરાજભાઇ કાનાભાઈ રહે. તમામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગ નામની તેની દુકાન આવેલ છે અને તેની સામે આરોપી ચિરાગભાઈખ્ખની મહાવીર ટ્રેડિંગ નામની દુકાન આવેલ છે અને અગાઉ ચિરાગભાઈખ્ખર પાસેથી ફરિયાદીએ રૂપિયા લીધેલા હતા અને તે બાબતે પોલીસમાં અરજી કરેલ હતી જો કે, તે બાબતે સમાધાન થઈ ગયું હતું તો પણ તેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પાડતા ચિરાગભાઈખ્ખરે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે માર માર્યો હતો તથા અન્ય બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News