મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો


SHARE













મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા વેપારી યુવાને તેની સામેના ભાગમાં દુકાન ધારવતા વેપારી પાસેથી અગાઉ રૂપિયા લીધેલ હતા અને તે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમાં સમાધાન થઈ ગયું હતું. જોકે તે બાબતનો ખા રાખીને સામેવાળા વેપારી અને તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં. 8 માં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (39હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખ, તેના ભાઈ કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખઅને જયરાજભાઇ કાનાભાઈ રહે. તમામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગ નામની તેની દુકાન આવેલ છે અને તેની સામે આરોપી ચિરાગભાઈખ્ખની મહાવીર ટ્રેડિંગ નામની દુકાન આવેલ છે અને અગાઉ ચિરાગભાઈખ્ખર પાસેથી ફરિયાદીએ રૂપિયા લીધેલા હતા અને તે બાબતે પોલીસમાં અરજી કરેલ હતી જો કે, તે બાબતે સમાધાન થઈ ગયું હતું તો પણ તેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પાડતા ચિરાગભાઈખ્ખરે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે માર માર્યો હતો તથા અન્ય બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News