મોરબી હજરત રોયલા પીર (ર.અ.) મુબારકના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ
અનોખો વિરોધ: મોરબીમાં ઘરે પાણી ન આવતા આધેડે ઘરમાં પાણીના ટાંકામાં બેસીને શરૂ કર્યા અનશન
SHARE
અનોખો વિરોધ: મોરબીમાં ઘરે પાણી ન આવતા આધેડે ઘરમાં પાણીના ટાંકામાં બેસીને શરૂ કર્યા અનશન
મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા આસામીના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી જેથી તેને મહાપાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ પાણી આવી રહ્યું નથી. માટે નારાજ થયેલા આસામી દ્વારા આજે તંત્રની સામે અનોખો વિરોધ કરવામાં આવેલ છે અને તેના જ ઘરમાં આવેલ પાણીના ટાંકામાં બેસીને અનશન આંદોલન શરૂ કર્યું છે.
સરકાર માનવી ત્યાં વિકાસ અને પાણીની વાતો કરવામાં આવે છે જો કે, આજની તારીખે મોરબી શહેરમાં ઘરમાં પાણી ન આવે તેવી સ્થિતિ છે અને આટલું જ નહીં પાણી ન આવતું હોય તો રજૂઆતો કરવામાં આવે તો પણ તેને કોઈ ધ્યાને લેતું નથી જેથી લોકોને પાણી માટે હલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ મોરબીમાં છે તેવામાં મોરબીમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી અને તેના માટે ગત તા. 13 પહેલી વખત અને તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી તો પણ પાણી મળે તે માટે નક્કર કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી અને કલેક્ટર તેમજ કમિશનરને રજુઆત કરી હોવા છતાં પણ કામ કરવામાં આવતું નથી જેથી ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ આજથી તંત્ર સામે નવતર વિરોધ શરૂ કર્યો છે અને તેઓએ તેમના પોતાના જ ઘરમાં ખાણી પડેલા પાણીના ટાંકામાં બેસીને અન્નજળનો ત્યાગ કર્યો છે અને પાણી તેઓના ઘરે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.









