હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી


SHARE











મોરબી નજીકથી બોલેરોમાં કતલખાને લઈ જવાતી બે ભેસને ગૌરક્ષકોએ બચાવી

મોરબીના સનાળા બાયપાસ રોડે વાવડી ચોકડી પોસેથી વાહનમાં ગેરકાયદેસર  કતલ કરવાના ઇરાદે બે ભેંસને લઈ જતાં હતા ત્યારે અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના કમલેશભાઈ બોરીચાની હકીકત આધારે મોરબી ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાતથા અધિકારી ભાઈઓ દ્વારા વોચ  રાખવામા આવી હતી ત્યારે બોલેરો પીકપ ગાડી નં. જીજે 36 વી 7940  રોકાવીને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેંસ મળી આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી કરીને પોલીસ ત્યાં આવી હતી અને બંને ભેસને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે. કાર્યવાહીને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કંઝરિયા, પાર્થભાઈ નેસડિયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલલાલાભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જયરારભાઈ ગોહિલજેકીભાઈ આહીર, નિલેશભાઈ ડાંગર સહિતના મોરબીના ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહીની સહિતની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News