મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત


SHARE











વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત

વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસેથી છકડો રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં આગળના ભાગે બેઠેલ બાળક નીચે પડી ગયો હતો જેથી કરીને તે બાળકને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ વાંકાનેર અને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા વિહાભાઇ વિંજવાડીયાનો 10 વર્ષનો દીકરો ગોપાલભાઇ વિંજવાડીયા ગઇકાલે સવારે 10:10 વાગ્યા પહેલા વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ નીર્મલા કોન્વે સ્કુલ પાસેથી છકડો રીક્ષા નં જીજે 36 ડબલ્યુ 1223 માં આગળના ભાગે પેટી ઉપર બેસીને વાંકાનેર તફર જતો હતો ત્યારે વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર નીર્મલા કોન્વે સ્કુલ પાસે રોડ ઉપર અચાનક છકડો રીક્ષામાંથી તે નીચે પડી જતા બાળકને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા પાસે તે બાળકનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું જેથી આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરેવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ રમેશચંદ્ર રાયધનભાઇ મિયાત્રા કરી રહ્યા છે.






Latest News